અમદાવાદની એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ફરીથી એકવાર ખોરાકમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડાં નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે આ રેસ્ટોરેન્ટ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાં એક ગ્રાહકે પિત્ઝા ઓર્ડર કર્યા હતા.
જાે કે પિત્ઝાનું બોક્સ ખોલતાં જ તેમાંથી ૧૦-૧૫ જીવડાં નીકળ્યા હતા.આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યુ છે. કલગી ચાર રસ્તા પાસે આવેલા આ લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટને સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.
Recent Comments