અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો સ્પોર્ટ્સ ટીચર વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતો હતો. આ કેસમાં શિક્ષકને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. નિવૃત ન્યાયાધિશીની તપાસ કમિટીએ આ અંગેનો રિપોર્ટ જમા કરાવ્યો છે. આ દોષિત શિક્ષક સામે કેવા શિક્ષાત્મક પગલા લેવા તે અંગે ટોપ મેનેજમેન્ટની બેઠક બાદ ર્નિણય લેવામાં આવશે. જણાવી દઈએ કે સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણે નવમાં ધોરણની વિદ્યાર્થિનીઓને સોશિયલ સાઈટ પર અશ્લિલ મેસેજ કર્યા હતા. વાલીઓના હોબાળા બાદ શાળાએ ડીપાર્ટમેન્ટલ તપાસ કમિટી નીમી હતી. કમિટીના રિપોર્ટમાં શિક્ષકે વિદ્યાર્થિનીઓને અભદ્ર મેસેજ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સ્કૂલ તરફથી આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના સ્કૂલ તરફથી કરવામાં આવી છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો સ્પોર્ટ્સ ટીચર દોષિત જાહેરવિદ્યાર્થિનીઓને સોશિયલ સાઈટ પર અશ્લિલ મેસેજ કર્યા હતા

Recent Comments