શહેરમાં ફરી એક વાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ બની રહી છે, ગોમતીપુર વિસ્તારમાં મોદી રાત્રે બે લોકોની હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સ દ્વારા કેટલાક લોકો પર હુમલો હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. હત્યાના મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે પ્રાપ્ત વિગતમાં શહેરમાં હાથીખાઈ ગાર્ડન નજીક અજાણ્યા વ્યક્તિએ અંગત અદાવત રાખીને બે શખ્સ પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે તેમનું મોત નિપજયું. અમદાવાદમાં મોડી રાત્રે બે વ્યક્તિઓ દ્વારા તલવારના ઘા મારી એક વ્યક્તિની હત્યા કરી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. જ્યારે હત્યા કરનાર આરોપી સમીર અને કમિલ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
એક તરફ રથયાત્રા આવી રહી છે ત્યારે પોલીસ અને સરકાર દ્વારા શહેરમાં દિવસને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક વખત ડ્રગ્સ પકડાયાના કિસ્સા સામે આવી રહ્યા છે. તો સામાન્ય બાબતમાં લોકોમાં ઝગડા વધી રહ્યા છે. જેના કારણે લોકો અંગત અદાવત રાખી ઘાતકી હુમલા કરવા લાગ્યા છે. પરિણામે હત્યાના બનાવો પણ વધ્યા છે. લોકોમાં આક્રોશ અને ગુસ્સાનું પ્રમાણ વધ્યું છે. શાંતિના પ્રણેતા ગાંધીના અમદાવાદમાં માહોલ અશાંત થઈ રહ્યો છે.
Recent Comments