ગુજરાત

અમદાવાદમાં રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજીત દિવ્ય દરબારમાં ઝ્રસ્ અને મ્ત્નઁ પ્રદેશ પ્રમુખને આમંત્રણ,

ગુજરાતમાં હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિવાદ વકર્યો છે. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યા બાદ તેમને ફોન પર ધમકીઓનો મારો ચાલુ થયો છે. તો અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજકો સોશિયલ મીડિયામાં કરાતી પોસ્ટને અવગણી રહ્યા હોવાનું મોઢે બોલી રહ્યા છે, પરંતુ બાઉન્સરોના પહેરામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને દિવ્ય દરબાર યોજવા માટે મક્કમ હોવાનું જણાવી રહ્યા છે.હિન્દુ રાષ્ટ્રને લઈ અને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં ૨૯ અને ૩૦ મે એમ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-૬ ખાતે ગંગોત્રી શક્તિધામ મંદિરના ચોકમાં બે દિવસ તેમનો દરબાર યોજાશે. રાધિકા સેવા સમિતિના આચાર્ય પ્રમોદ મહારાજે દિવ્ય દરબાર અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધર્મ, ભક્તિ અને સનાતનનો પ્રચાર થાય અને અંખડ ભારત બને તેના માટે અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન છે.

સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી આ દિવ્ય દરબારનું આયોજન થશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાધિકા સેવા સમિતિ દ્વારા ધર્મ, કર્મ, જ્ઞાન, શ્રદ્ધા, ભક્તિ અને સનાતન પ્રચાર માટે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત રામમય બને તે જરૂરી છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ તાંત્રિક નથી. એક દિવસ અરજી આપવાની રહેશે. દિવ્ય દરબારમાં કોઈ રજિસ્ટ્રેશન નથી. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગશે ત્યારે તેઓ દિવ્ય દરબારમાં બેઠેલા જે પણ ભક્ત હશે તેની અરજીને માન્ય રાખીને સ્ટેજ ઉપર બોલાવશે અને ત્યાં તેમના પ્રશ્નને સાંભળશે.રાજ્યમાં જે વિરોધ થઈ રહ્યો છે તે મામલે આચાર્ય પ્રમોદ મહારાજએ જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરી શકે છે. તેને માન્ય ગણી શકાય નહીં, જેને જે પણ વિરોધ હોય તે અમારી સમક્ષ આવી શકે છે. બાબા કોઈ જાદુગર નથી. બાબા કોઈ તાંત્રિક નથી. જે પણ હોય તે હનુમાનજી કરે છે. કોઈ માઈન્ડ ગેમ નથી, ભૂતકાળમાં આવા પ્રશ્નો થઈ ચૂક્યા છે. સુરતમાં જે પણ પોલીસ અને કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી છે, તેમાં કમિશનર અને વહીવટી તંત્રનું કામ છે તે કરી શકે છે. રાજકીય જે કાર્ય કરવું હોય તે કરી શકે છે અમે આયોજક છીએ, આયોજનનું કામ અમારું છે. દિવ્ય દરબારના આયોજક અમિત શર્માએ જણાવ્યું હતું કે, બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસના દરબારમાં તમામ ભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ. એવી જ રીતે રાજકીય નેતાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને કોર્પોરેશનના હોદ્દેદારોને અમે આમંત્રણ આપ્યું છે, જેની પણ શ્રદ્ધા હોય તે આ દિવ્ય દરબારમાં આવી શકે છે.

બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસના આ દિવ્ય દરબારનું ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખથી વધુ ભક્તો હાજર રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દિવ્ય દરબાર દરમિયાન કોઈપણ પ્રકારની ભાગદોડ કે ખૂબ મોટી ભીડમાં અવ્યવસ્થા ન સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી લઈને ભક્તોની સુરક્ષા તમામ વ્યવસ્થા કરાઈ છે. મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય દરબારમાં હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી ૧ અને ૨ જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ૧૬ મેના રોજ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર પોસ્ટ મૂકી હતી. જેને લઇ તેમને અલગ અલગ ફોન તેમજ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.આજે ધમકીઓ આવતા તેમણે જણાવ્યું હતું કે, મને અલગ અલગ ફોન મેસેજથી ધમકી મળી રહી છે. હું કોઈ ધમકીથી ડરવાનો નથી. મારો વિરોધ ધર્મ સામે નથી માત્ર ને માત્ર ધતિંગ સામે મારો વિરોધ છે. હું કોઈ પોલીસ ફરિયાદ પણ કરવાનો નથી અને પોલીસ પ્રોટેક્શન પણ માંગવાનો નથી. રાજકીય લોકોના સમર્થન મામલે તેઓએ જણાવ્યું હતું કે, રાજકીય લોકોને મતની જરૂર હોય છે, માટે તેઓ વિરોધ નહીં કરે. મારે મતથી કોઈ લેવાદેવા નથી માટે હું ધતિંગનો વિરોધ હંમેશાં કરીશ અને ધર્મમાં સમર્થન કરીશ.

પુરુષોત્તમ પીપળિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે, પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા બાગેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમત્તા માપી લેશે. તો સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બીલિવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠીઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!રાજકોટના એક પરિવારમાં બાગેશ્વર ધામ મુદ્દે વિવાદ થયો છે, જેમાં દીકરીનો આરોપ છે કે, બાબાના કહેવા મુજબ દવા બંધ કરવાથી ભાઈની તબિયત લથડી છે અને હાલ તે વેન્ટિલેટર ઉપર છે. જ્યારે પિતા કહે છે કે, પુત્રીને કાંઈ ખબર નથી, બાબાએ દવા બંધ કરવાનું કહ્યું જ નથી. પુત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ૧૪ વર્ષીય ભાઈને વર્ષ ૨૦૨૧થી આંચકી ઊપડતી હતી. જેને લઈને ગત તા. ૧૦ એપ્રિલે મારાં મમ્મી સહિતના તેને મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામ લઈ ગયાં હતાં.

જ્યાં બાબાએ તેમના ભાઈના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે, દવાઓ બંધ કરી નાખો અને હું જે ભભૂતિ આપું તે લગાવવાનું શરૂ કરી દો એટલે તેને સારું થઈ જશે. જાેકે, ૫ મેના રોજ ઘરે પરત ફર્યા બાદ ૬મેની સવારે ફરી આંચકી ઊપડતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આજે ૧૩ દિવસ બાદ હાલ તે વેન્ટિલેટર ઉપર છે.૧૪ વર્ષીય બાળકના પિતા રમેશ વ્યાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દવા બંધ નથી કરી, દવા તો ચાલુ જ છે. મારી પત્ની એક મહિનાથી જીદ કરતી હતી કે, મારે બાગેશ્વર ધામ જવું છે. અને બાદમાં મારાં પત્ની અને બીજી દીકરી તેમજ એક કારીગર બાગેશ્વર ધામ ગયાં હતાં. જ્યાં પણ મેં દવા સાથે મોકલી હતી. બાબા દ્વારા દવા બંધ કરવાનું કહેવામાં આવ્યું જ નથી. સરકારી હોસ્પિટલમાંથી ત્રણ મહિનાથી દવા નહીં મળતી હોવા છતાં હું પ્રાઇવેટમાંથી દવા લઈ આવું છું. મારા દીકરાને આંચકી ઊપડવી પહેલીવાર નથી. આ પહેલાં પણ બે-બે વખત આંચકી ઊપડી ચૂકી છે.

Related Posts