એક કંપનીના ૨ માલિક અને ૧ કર્મચારીએ ભેગા મળી એક ડોકટરના શેર બારોબાર વેચી દીધા શું તમને વિશ્વાસ થશે ખરા?.. શેર ટ્રેડિંગ કરતી એક કંપનીના ૨ માલિક અને ૧ કર્મચારીએ ભેગા મળીને એક ડોકટરના રૂ.૨.૬૫ કરોડના શેર બારોબાર વેચી દીધા હતા. ભાંડો ફૂટતા ડોકટરે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાે કે શેર ટ્રેડિંગ કરતી આ કંપની ડિફોલ્ટ થયેલી હોવાથી સેબી એ પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે. સૈજપુરની બોઘા કૃષ્ણ ગોકુલ સોસાયટીમાં રહેતા ડોક્ટર રેવા ક્લિનિક નામથી કલીનીક ધરાવીને પ્રેકટિસ કરે છે. આ ડોક્ટરના ઘરની સામે જ આર કેડીયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રા.લી. નામની શેર ટ્રેડિંગ કંપની આવેલી છે. તેના સેલ્સમેને એક દિવસે ડોક્ટરને ફોન કરીને કહ્યું હતુ કે તમે શેર બજારમાં રોકાણ કરવા માટે અમારી કંપનીમાં ખાતું ખોલાવીને શેરની લે – વેચ કરો. અમારી કંપની તમને સારી સર્વિસ આપશે.
તેવી વાત કરતા ડોક્ટરએ તેમની કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ કંપનીના બે માલિકો નિતિનભાઈ બારોટ અને એન્થોની સિકવેરા હતા જ્યારે ગિરીશભાઈ બારોટ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. ૨૦૧૦થી ૨૦૧૮ સુધી કંપનીના ડોક્ટર સાથેના વ્યવહારો બરાબર ચાલતા હતા. જ્યારે ડોક્ટરએ ૨૦૨૦ થી ૨૦૨૧ ની બેલેન્સશીટ જાેતા ડોક્ટરના ખાતામાંથી રૂ.૨.૬૫ કરોડના શેર વેચી દેવાયા હતા.
જ્યારે તે શેરના પૈસા ડોક્ટરના ખાતામાં જમા કરવામાં આવ્યા ન હતા. જેથી આ અંગે ડોકટરે કંપનીમાં વાત કરી હતી. પરંતુ માલિક તેમજ કર્મચારી દ્વારા યોગ્ય જવાબ નહીં મળતા આખરે ડોકટરે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે નવરંગપુરા પીઆઈ એ.એ. જણાવ્યું હતું કે, હાલમાં એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ આરકેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઘણા સમયથી બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી આ અંગે સેબીને જાણ કરાવામાં આવી છે. જેથી પોલીસની સાથે સેબીની ટીમોએ પણ તપાસ શરૂ કરી દીધી છે.
Recent Comments