અમદાવાદીઓ હાલ કોરોનાને કારણે તમારા શહેરની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. એટલા માટે ઘરની બહાર નીકળતી વખતે ૧૦૦ વખત વિચારી લેજાે. કેમ કે જાે તમને કે તમારા સ્વજનને કોરોનાનો ચેપ લાગશે કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે તમારા પસીના છૂટી જશે. છૐદ્ગછના સેક્રેટરી વિરેન શાહે ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ છે અને ત્યાં પણ દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
અમદાવાદીઓ હાલમાં જ તમે સિવિલ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સોની લાંબી લાંબી લાઈનો જાેઈ હશે. અને તેની પાછળનું કારણ એ છે કે અમદાવાદમાં કોરોના હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. અને હવે હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડ ઉપલબ્ધ નથી. છૐદ્ગછના સેક્રેટરી વિરેન શાહે નિવેદન આપ્યું છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કેટલીક હોસ્પિટલમાં તો ૨૦૦ દર્દીઓનું વેઈટિંગ છે.
આ ઉપરાંત વિરેન શાહે કહ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં ૈંઝ્રેં અને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર બેડ ફૂલ થઈ ગયા છે. અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન માટે ૮ કલાકનું વેઈટિંગ હોવાનું છૐદ્ગછના સેક્રેટરી વિરેન શાહે જણાવ્યું છે. આમ તમે જ વિચારી જૂઓ કે ફક્ત ઓક્સિજન માટે જ જાે ૮-૮ કલાકનું વેઈટિંગ ચાલતું હોય તો ઓક્સિજનનાં અભાવે કોરોના દર્દીઓની સારવાર કેમ થતી હશે. અને ઓક્સિજનના અભાવે કેટલાં દર્દીઓ મોટને ભેટ્યા હશે. તેનો આંકડો સામે આવતો નથી.
Recent Comments