ગુજરાતમાં કોરોના કહેર બાદ મ્યુકરમાઈકોસિસનો કહેર વરસી રહ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસ દર્દીઓના માથે મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેનો આખરે ડર હતો તે જ બન્યું છે. અમદાવાદમાં બાળકને મ્યૂકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો છે. શહેરમાં એક ૧૩ વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં બાળકોમાં પ્રથમ મ્યૂકરમાઈકોસિસનો કેસ નોંધાયો છે. એક ૧૩ વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. તમને જણાવીએ કે થોડા સમય પહેલા આ બાળકના માતા અને તેને કોરોના થયો હતો અને થોડા દિવસ પહેલા માતાનું મોત થયું હતું. ત્યારબાદ બાળક મ્યૂકરમાઈકોસિસનો ભોગ બન્યો હતો અને તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી.
અમદાવાદમાં ૧૩ વર્ષનો બાળક મ્યુકરમાઇકોસિસનો શિકાર

Recent Comments