ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પરથી લેવામાં આવેલી તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવી હતી. આ મામલામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક શંકાસ્પદ વિદ્યાર્થીઓની ભૂમિકા એજન્સીઓના રડારમાં આવી હતી. ત્યારે ફરી એકવાર ૈંજીૈંજી ની મોટી આતંકી યોજનાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ દેશના બે મોટા શહેરોમાં અત્યાર સુધીના સૌથી મોટા આતંકી વિસ્ફોટને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. ધરપકડ કરાયેલ ૈંજીૈંજી આતંકવાદીની કબૂલાતથી આ ખુલાસો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા વિસ્ફોટ કરવાની ૈંજીૈંજીની યોજના હતી. ૈંજીૈંજી મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકવાદી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. આ ઉપરાંત ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ૈંજીૈંજીના નિશાના પર હતા.
ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પરથી લેવામાં આવેલી તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક શંકાસ્પદ વિદ્યાર્થીઓની ભૂમિકા એજન્સીઓના રડારમાં આવી હતી. આતંકવાદી હુમલાની યોજના માટે ૈંજીૈંજીએ પૂણેને ટેરર પોઈન્ટ બનાવ્યું હતું. આ વાતનો ખુલાસો કરનાર ૈંજીૈંજી ઓપરેટિવની ઉંમર ૩૧ વર્ષ છે અને તેનું નામ શાહનવાઝ છે. તેની કબૂલાત પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી જેને તેણે ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો, બંનેની મુલાકાત છસ્ેંમાં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ ૭ થી ૮ ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો. અલકાયદાનો ટોચનો આતંકવાદી જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો.
શાહનવાઝનો ગુરુ આ અનબર અવલાકી હતો, જેના પ્રભાવ હેઠળ તેને આતંકવાદી બનવાનું ઝનૂન લાગ્યું અને પછી તે ઓનલાઈન સાઇટ્સ પર કટ્ટરપંથી મુસ્લિમોના ગ્રુપ અને ૈંજીૈંજીના હેન્ડલર્સમાં જાેડાયો. ૨૦૧૬ થી જામિયામાં રહેતો શાહનવાઝ તેની કબૂલાતમાં કહે છે કે તે ૐૈંઢમ્ ેં્ તાહિર સાથે જાેડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. વિશ્વના ઘણા દેશોમાં તે પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં દ્ગૈંછ એ દેશમાં તેના સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. શાહનવાઝના જણાવ્યા મુજબ, ફરાર ૈંજીૈંજી આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને શાહનવાઝ ૐેં્ મીટિંગ દરમિયાન તેને મળ્યો હતો. એટલું જ નહીં, છસ્ેંના ઘણા વિદ્યાર્થીઓએ ૐેં્ની મીટિંગમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના અન્ય સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો, જ્યાં તે ૈંજીૈંજીના ટોચના નેતા પાસેથી તાલીમ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા પહોંચાડવામાં આવતા હતા, જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને તાલીમ શિબિરો કરવા માટે કરતા હતા.
Recent Comments