ગુજરાત

અમદાવાદ નજીક આવેલાં ગણેશપુરામાં ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકાજમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર

અમદાવાદ નજીક આવેલાં ગણેશપુરામાં આ મંદિર આવેલું છે. ગણેશપુરા મંદિર સાથે જાેડાયેલી રસપ્રદ કથા પણ જાણવા જેવી છે. ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર છે. કંઇ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતીને આપણે યાદ કરતાં હોઇ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે. કે શ્રી ગણશ એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા ગણવામાં આવે છે. ગણપતિની ઉપાસનાને મંગળકારી માનવામાં આવે છે. ‘ગણેશ’ના નામનો શાબ્દિક અર્થ એટલે ભયાનક અથવા ભયંકર થાય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે.

જાે કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિનાં સ્વરૂપમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે. તે વાત સમજવાના યોગ્ય છે, તમે જાે શ્રી ગણેશ સામે હાથ જાેડીને ઉભા રહો ત્યારે તેમના આ રૂપને જાેતી વખતે પ્રેરણા લેશો તો વિધ્નહર્તાની કૃપાથી ક્યારેય તમારા કાર્યમાં વિધ્ન નહી આવે. ભગવાન ગણેશ તમારા જીવનના બધા દુઃખ દુર કરીને તમારું જીવન સુખમય બનાવે છે. અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકામાં આવેલ ગણપતપુરાનાં ગણેશ ભગવાનનો અનોખો ઇતિહાસ છે. કોઠ ગામની પાસે આવેલ ગણેશ ભગવાન મંદિરને કારણે ગામનું નામમાં પણ ગણેશપુરા, ગણપતિપુરા નામથી ઓળખવામાં આવે છે. ગણપતિપુરા મંદિરની ખાસિયત એ છે.

કે ગણેશ ભગવાનની મુર્તિ જે ક્યાય જાેવા નહીં મળે તો અંહીયા જાેવા મળશે. આ મુર્તિની ખાસ વાત એ છે. કે ગણેશજીની મુર્તિ જમણી બાજુ છે. તેમજ એક દંત અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે. ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય એવા કિલો બુંદીના લાડુ અને કિલો ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. ચોથના દિવસે દાદાનાં દર્શન સવારે ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યાની આરતી પછી અડધા કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. આ મંદિરની પાછળ ભોજન માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.

સવારના ૧૦.૩૦થી બપોરના ૧.૦૦ વાગ્યાસુધી અહી અન્નક્ષેત્રમાં રોજ ભકતો લાભ લે છે. જમવામાં દાળ, ભાત, શાક, રોટલી તેમજ વાર-તહેવારના દિવસે પૂરી, મિષ્ટાન, દાળ, ભાત આપવામાં આવે છે. દર ચોથના દિવસે એક લાખથી સવા લાખ લોકો મોરૈયો અને કઢીનો પ્રસાદ અન્નક્ષેત્રમાં લે છે. હાલમાં મંદિરનો જીણોદ્વાર કરવામાં આવ્યો છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે. ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાનતે સ્વંયભુ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. વિક્રમ સંવત ૯૩૩ના અષાઢ વદ-૪ને રવિવારનાં દિવસે હાથેલમાં જમીનનાં કેરડાનાં જાળાનાં ખોદકામનાં સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડ પર કંદોરા સાથે પ્રગટ થયા હતા.

વર્ષો પહેલા આ સ્થળ પર જંગલ વિસ્તાર હતો. જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા, વણફૂટા ગામની વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું તે ઓપોઆપ બળદ વગર ચાલવા લાગ્યું અને ગણપતિપુરાનાં ટેકરા પર જઇને ઉભું રહ્યુ. મૂર્તિ તે આપમેળ ગાડામાંથી નીચે ઉતરી ગઇ. આ પ્રંસગ સર્જાતા તે સ્થળનું નામ ગણેશપુરા રાખ્યું. તે જ દિવસે ૫ કિમી દુર અરણેજમાં બૂટભવાની માતાજી સ્વંયમ પ્રગટ થયેલા તેથી પુજારી અંબારામ પંડિતનાં નામ પરથી તે ગામનું નામ અરણેજ પાડવામાં આવ્યુ.

Related Posts