ગુજરાત

અમદાવાદ ના ઘાટલોડિયા અધિક શ્રાવણ માસ નિમિતે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ

અમદાવાદ ખાતે તા.૩૦-૭-૨૦૨૩ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સમૂહમાં હરસિદ્ધિ એપાર્ટમેન્ટ,કે.કે.નગર રોડ ઘાટલોડિયા ખાતે અધિક શ્રાવણ માસ નિમિત્તે સૌ રહીશોના આરોગ્ય સુખાકારીના લાભાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞની પુર્ણાહુતી થયેથી સૌએ પ્રસાદ મિષ્ટાન્ન સાથે લીધો હતો ઉપસ્થિત રહેલા સૌને નિ:શુલ્ક ગાયત્રી મંત્ર લેખન નોટ બુક તથા ગાયત્રી ચાલીસા પાઠ આપવામાં આવ્યા હતા.

Related Posts