અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સંચાલન માટેના સ્કૂલ બોર્ડના ચેરમેન અને ૧૨ સભ્યોની વરણી માટે ૫ ઓગસ્ટના રોજ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે જાે કે માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે અને સૌથી વધુ ભાજપના કોર્પોરેટર હોય તેમના જ ઉમેદવાર સભ્યો બનશે.
એવામાં ભાજપના જ કોઈ પૂર્વ કોર્પોરેટરને ચેરમેન તરીકે સ્થાન મળે તેવી શકયતા લાગી રહી છે. સભ્યપદ મેળવવા માટે પણ ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપના નેતાઓની લોબિંગ શરૂ થશે. વિપક્ષ કોંગ્રેસના અને એઆઇએમઆઇએમના એકપણ સભ્ય આ વખતે સ્કૂલબોર્ડમાં સ્થાન નહીં મેળવી શકે તે લગભગ નિશ્ચિત છે. એઆઇએમઆઇએમ કે કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવા કે કેમ તે હજી ર્નિણય લીધો નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની વરણી થયા બાદ વિવિધ કમિટીઓની રચના લાંબા સમય બાદ કરવામાં આવી હતી. કોરોના કાળના કારણે વિવિધ કમિટીઓની મોડી વરણી બાદ હવે સ્કૂલબોર્ડની રચના કરવામાં આવશે. સ્કૂલબોર્ડમાં ૧૫ સભ્યોની કમિટી હોય છે જેમાં ૩ સભ્યો ડીઇઓ હોય છે અને બાકીના ૧૨ સભ્ય તરીકે કોઇ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જાેડાયેલા લોકો જ ઉમેદવારી કરતા હોય છે.
આગામી ૫ ઓગસ્ટના રોજ સ્કૂલબોર્ડમાં ૧૨ સભ્યની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે ૨૨મી જુલાઇ સુધીમાં ઉમેદવારી પત્રો રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ ૨૯મી જુલાઇએ મેયરની ઓફિસમાં તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. બાદમાં ૫ ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજાશે. સાંજે સાડા છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.
Recent Comments