ગુજરાત

અમદાવાદ સિવિલના ૬૫ સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવાયા

અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસથી ચિંતા વધી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ૬૫ જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવવામાં આવ્યા છે. એમસીઆઇના ઇન્સ્પેકશન સંદર્ભે કરાયેલી ટ્રાન્સફર અંતર્ગતના તબીબોને પરત સિવિલમાં ફરજ માટે બોલાવાયા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ૩૩૬ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. એક મહિના પહેલા સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં માત્ર ૪૦ દર્દીઓ સારવાર પર હતા, જે વધીને ૩૩૬ થયા છે. હાલ સારવાર લઈ રહેલા ૩૩૬ દર્દીઓમાંથી ૮ વેન્ટિલેટર પર, ૩૭ બાયપેપ પર, તો ૧૩૫ દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ છે. હાલ અમદાવાદ સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં ૯૨૦ કોરોનાના બેડ દર્દીની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો છે. ૭૦ ખાનગી હૉસ્પિટલને બદલે હવે ૭૬ ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે. આ ૭૬ ખાનગી હૉસ્પિટલમાં કુલ ૨,૮૮૫ બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાયા છે. કોરોનાના કેસો વધતા કુલ ઉપલબ્ધ બેડમાંથી ૪૮ ટકા જેટલા બેડ કોરોનાના દર્દીઓથી ભરાયા છે. ખાનગી હૉસ્પિટલના ૨,૮૮૫ બેડમાંથી હાલ ૧,૩૬૨ બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, ૧,૫૨૩ બેડ ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં આઈસોલેશનના બેડ પર ૫૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ હાલ ૬૬૦ આઈસોલેશનના બેડ ખાલી છે. એચડીયુ બેડ પર કોરોનાના ૫૭૫ દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે ૫૧૫ એચડીયુ બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ૧૮૫ આઇસીયુ વિથઆઉટ વેન્ટીલેટરના બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે ૨૨૪ બેડ હાલ ખાલી છે. આઇસીયુ વિથ વેન્ટીલેટર પર ૯૮ કોરોનાના દર્દીઓ દાખલ, જ્યારે ૧૨૪ જેટલા આઇસીયુ વિથ વેન્ટીલેટરના બેડ હાલ ખાલી છે. આ સિવાય અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલ દ્વારા કોવિડ કેર સેન્ટર પર શરૂ કરાયા છે. ૪ કોવિડ કેર સેન્ટરમાં કુલ ૧૯૪ બેડ છે ઉપલબ્ધ, જેમાંથી હાલ માત્ર ૯ જ બેડ ભરાયેલા છે.

Related Posts