માળીયાના અમરાપુર ગામે એક ખેડૂતે જમીન પર લોન લીધી હતી તેમજ પોતાનો વ્યવસાય યોગ્ય રીતે ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી જઈ યુવાને આપઘાત કરી લીધો હતો.અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,માળીયા હાટીના પંથકના અમરાપુર ગામે રહેતાં પ્રફુલભાઈ અરજણભાઈ ચાવડાએ પોલીસમાં જણાવ્યા અનુસાર રાજુભાઈ અરજણભાઈ ચાવડાએ પોતાની જમીન પર બેંક માંથી લોન લીધી હતી તેમજ હીરાનો વ્યસાય બરોબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકળામણ ના લીધે રાજુભાઈ માનસિક તણાવમાં રહેતાં હતાં.અંતે કંટાળી જઈ વાડીએ જ ખડમાં નાંખવાની દવા પી લઈ મોતને વ્હાલું કર્યું હતું.આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ બનાવને લઈ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.
અમરાપુરનાં યુવાને જમીન પર બેંક લોન લીધી બાદ આર્થિક સંકળામણથી કર્યો આપઘાત

Recent Comments