અમરેલીના ટીંબલા ગામે રહેતી એક પરિણિતાને સાસરીયાઓ લાંબા સમયથી બેહદ ત્રાસ દેતા હોય અને પતિ નશો કરીને મારકુટ કરતો હોય આ મહિલાએ પોતાની દસ માસની પુત્રીને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી ટીકડા ખાઇ લેતા બંનેના મોત થયા હતા. ટીંબલા ગામની પરિણિતાને મરી જવા મજબુર કરવા સબબ પોલીસે ત્રણ સાસરીયા સામે ગુનો નોંધ્યો છે.અહીની અસ્મિતાબેન ભગીરથભાઇ વાળા નામની પરિણિતાએ પોતે ઝેરી ટીકડા પી લીધા હતા અને પોતાની દસ માસની પુત્રી હિતેશ્વરીને પણ પીવડાવી દીધા હતા. જેને પગલે બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. પરંતુ બંનેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
બનાવ અંગે સાવરકુંડલાના ખોડિયાણા ગામે રહેતા અસ્મિતાબેનના ભાઇ ગૌતમભાઇ બાવભાઇ જેબલીયાએ આ અંગે અમરેલી તાલુકા પેાલીસ મથકમા અસ્મિતાબેનના પતિ ભગીરથ ભાભલુભાઇ વાળા, સાસુ રમજુબેન અને દિયર મયલુ સામે તેણે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું, અસ્મિતાબેનના લગ્ન બાદ છ એક માસ ઘર સંસાર બરાબર ચાલ્યો હતો. બાદમા કાયમ તેનો પતિ દારૂ પી ઘરે આવતો હતો અને મારકુટ કરતો હતો.
આ મહિલાએ લાંબા સમય સુધી સાસરિયાની યાતના વેઠી હતી. ગઇકાલે તેની સહનશક્તિ ખૂટી જતાં પોતે અનાજમાં નાખવાના ઝેરી ટિકડા પી લીધા હતા. અને પોતાની ૧૦ માસની પુત્રીને પણ ઝેરી ટીકડા પાઈ દીધા હતા. જેના કારણે બંનેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. તાલુકા પોલીસે પરિણીતાને મરી જવા મજબૂર કરવા સબબ પતિ સાસુ અને દિયર સામે ગુનો નોંધ્યો છે.
Recent Comments