અમરેલી

અમરેલીના સપુત વિર શહિદ મનિષભાઈ મહેતાના નામનુ પાર્કનુ નામકરણ કરવામાં આવશે.

અમરેલીના સપુત વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા ભારતીય આર્મીમા ૧૪ વર્ષથી ફરજ બજાવતા હતા તેનુ રાજસ્થાન પોખરણ ખાતે યુધ્ધ અભ્યાસ અર્થે તેમના હેડક્વાર્ટર આસામથી તેમની યુનિટ સાથે રેલ્વે દ્વારા જઈ રહ્યા હતા ત્યારે તા ૧૯-૦૧-૨૦૨૩ ના રોજ ન્યુ જલપાઈ ગુડી રેલ્વે સ્ટેશન પર તેમની ફરજ દરમિયાન શહિદ થયેલ હતા તેમના પાર્થિવ દેહ ને અમરેલી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવેલ અને પુરા લશ્કરી માન સન્માન સાથે તથા અમરેલી ના રાષ્ટ્ર પ્રેમી જનતા તથા રાજકીય આગેવાનો ની ઉપસ્થિતી માં અગ્નિદાહ આપવામાં આવેલ

આવા વિર સપુત નુ બલિદાન ગુ અને તેમની કાયમી યાદી રહે અને એની યાદ માં સ્મારક બને એના માટે નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રીમતી રમાબેન નરેશભાઈ મહેતા દ્વારા તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી, કલેક્ટર શ્રી અમરેલી તથા ધારાસભ્ય શ્રીને રજુઆત કરેલ જેના અનુસંધાને અમરેલી ના માન ધારાસભ્ય શ્રી કૌશીકભાઈ વેકરીયા તથા નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી દ્વારા રજુઆત સ્વિકારી અને લાઠી રોડ ફોરવર્ડ હાઈસ્કૂલ થી ડોક્ટર હાઉસ સુધી ના પાર્ક ને ” વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા પાર્ક ” નામ કરણ કરવા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા ના અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવેલ છે આ પાર્ક નુ કામકાજ અત્યારે ચાલુ છે

પૂર્ણ થયે નામકરણ તથા લોકાર્પણ વિધી કરવામાં આવશે, આ વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા પાર્ક અંગે રાષ્ટ્ર પ્રેમી સૌ નાગરિકોએ આવકારે છે અમરેલી સારહિ યુથ ક્લબ ના ચેરપર્સન શ્રી મુકેશભાઈ સંઘાણી,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા વર્તમાન નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી,કારોબારી ચેરમેન મનિષભાઈ ધરજીયા, ઉપપ્રમુખ શ્રીમતી બીનાબેન કાલેણા દંડક શ્રી દિલાભાઈ વાળા શાસકપક્ષ ના નેતા શિતલબેન ઠાકર જીલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ મુકુંદભાઈ મહેતા, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી તથા શિક્ષણ સમિતિ ના ચેરમેન તુષારભાઈ જોશી તથા અમારા નગરપાલિકાના તમામ સદસ્ય શ્રીઓએ તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ આવકારેલ છે. અને અભિનંદન પાઠવેલ છે નરેશભાઈ મહેતા ની અખબારી યાદી માં જણાવેલ છે

Related Posts