અમરેલીનાં પનોતા પુત્ર અને રાજસ્વી ગૌરવ ભારત સરકારનાં કેબિનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલાનું ઓકસફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનાં યજમાનપદે અમરેલીની વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઘ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમારંભનાં અઘ્યક્ષ સ્થાને ડો. વસંતભાઈ પરીખ તથા રૂપાલાનાં ગુરૂજનો એચ.એલ. પટેલ, છેલભાઈ વ્યાસ, રોય, લાલજીભાઈ કાનપરીયા ઉપસ્થિત રહી રૂપાલાને સફળતાનાં આશિર્વાદ આપ્યા હતા.
આ તકે મહેમાન તરીકે ડો. કાનાબાર તથા ડો. કાલિન્દબેન પરીખે મનનીય પ્રવચન આપ્યું હતું. આ સમારોહમાં અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા તથા જીલ્લા ભાજપા પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તથા મુકેશભાઈ સંઘાણી તથા જીલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા તથા મનસુખભાઈ સુખડીયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાંરૂપાલાનાં સ્કૂલ-કોલેજકાળનાં મિત્રો ખાસ ઉપસ્થિત રહૃાા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓકસફર્ડ સ્કૂલનાં સંચાલકો મયુરભાઈ ગજેરા, નિલેષભાઈ ગજેરા, પ્રહલાદભાઈ વામજા તથા કિશોરભાઈ મહેતા અને મનોજભાઈ પંડયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
Recent Comments