અમરેલીના રાજકમલ ચોક પાસે કલરનું વેંચાણ કરતા અમનભાઈ બોરાતરે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે કલરની ખરીદી ઓછી થતી હતી.કારણ કે ધંધા- રોજગાર બંધ હોવાથી લોકો ખર્ચ ઓછો કરવા માંગતા હતા. પણ ઓણસાલ કલરની ખરીદીમાં વધારો થશે તેવી આશા છે. અત્યારે બજારમાં દિવાળીની ખરીદી પણ વધી છે.અમરેલીમાં દિપાવલીના તહેવાર પૂર્વે જુદા જુદા ૨૨ પ્રકારના કલરનું આગમન થયું છે. અહી આજથી કલરની ખરીદીનો પ્રારંભ થયો છે. પણ દશમના દિવસથી કલરની ખરીદીમાં વધારો થશે. અમરેલીની બજારમાં આકર્ષક કલરે લોકોનું મનમોહી લીધું છે. સૌથી વધારે આકર્ષક કલરની ખરીદી થઈ રહી છે.અમરેલીમાં લોકો દિવાળીના તહેવારની ઉજવણી માટે થનગનાટ કરી રહ્યા છે. અહી બજારોમાં લાંબા સમય બાદ ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. દિપાવલીના તહેવાર દરમિયાન લોકો ઘર હોય કે પછી ધંધા રોજગારના સ્થળે જુદા જુદા પ્રકારના કલરથી રંગોળી પુરતા હોય છે.
અમરેલીના સ્ટેશન રોડ, રાજકમલ ચોક, હરી રોડ, લાઈબ્રેરી રોડ, લાઠી રોડ અને ચિતલ રોડ સહિત જુદા જુદા વિસ્તારમાં કલરના સ્ટોલ ઉભા કરાયા છે. અહી રાજકોટના સરદાર બજારમાંથી સફેદ, પીળો, લાલા, કાળો, વાદરી, જાબંલી સહિત જુદા જુદા ૨૨ પ્રકારના કલરનું આગમન થયું છે.સ્ટેશન રોડ પર કલરનો વેપાર કરતા મહિલાએ જણાવ્યું હતું કે કુલ ૨૭ પ્રકારના કલર આવે છે. બજારમાં અત્યારે ૨૨ પ્રકારના કલરનું વેંચાણ થઈ રહ્યું છે. અહી રૂપિયા ૧૦ થી ૧૫માં જુદા જુદા પ્રકારના કલરનું વેંચાણ થઈ રહ્યું છે. તેમજ બજારમાં એક કિલ્લો કલરના રૂપિયા ૨૫ થી ૪૦ સુધીમાં વેંચાણ થઈ રહ્યું છે. કલરના વેપારી પ્રકાશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પાંચ રૂપિયા ૧૫૦ ગ્રામ કલરની ખરીદી થઈ રહી છે. ખાસ કરીને આકર્ષક કલરની વધુ ખરીદી થઈ રહી છે. દિવાળી પહેલા પાંચ દિવસમાં સૌથી વધારે કલરની ખરીદી થાય છે.
Recent Comments