અમરેલીમાં આજરોજ શહીદ દિન એટલે આજથી 91 વર્ષ પહેલાં 23 માર્ચ 1931 ના દિવસે વીર ભગતસિંહ,સુખદેવ,અને શિવરામ રાજગુરુને લાહોરની જેલમાં ફાંસી અપાઈ હતી ત્યારથી શહીદોના માનમાં આજના દિવસને શહીદ દિન તરીકે ઓળખવામાં આવે છે અને વીર શહીદોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
એ દિવસને યાદ કરી આજરોજ શહીદ દિન નિમિત્તે અમરેલી શહેર આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં આવેલ શહીદ સ્મારકમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમરેલી શહેરના રાજકમલ ચોકમાં આવેલ શહીદ સ્મારક ખાતે વીર શહીદોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ કાર્યક્રમમાં અમરેલી શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા અમરેલી શહેર મહિલા પ્રમુખ ચેતનાબેન સેંજલીયા,મધુબેન બગડા,શહેર ઉપપ્રમુખ પ્રિતેશભાઇ,વિપુલભાઈ ગજેરા, પંકજભાઈ રોકડ,શૈલેષભાઈ ભાલીયા,ભાવેશભાઈ બગડા તેમજ આ તકે અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઉકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીમાં આજરોજ આમ આદમી પાર્ટી અમરેલી શહેર દ્વારા શહીદ દિન નિમિત્તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Recent Comments