અમરેલી જિલ્લામાં સંક્રમણ બાદ પહેલી વાર સારવાર લઈ રહેલ દર્દીઓનો આંક 50થી નીચે ગયો. અમરેલી શહેરના એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ. આજે ફક્ત 4 પોઝિટિવ કેસ સામે 19 ડિસ્ચાર્જ
અમરેલી શહેરના ચિતલ રોડ પર રહેતા 56 વર્ષીય કોરોના પુરુષ દર્દીનું આજે કરુણ મૃત્યુ થતા જિલ્લામાં કુલ મૃત્યુ આંક 41 પર પહોંચ્યો. અમરેલી જિલ્લામા હમણાં છેલ્લા ઘણા દિવસોથી ઘટતા જતા પોઝિટિવ કેસોની સાથે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જાય છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ બાદ પહેલી વાર સારવાર લઈ રહેલા દર્દીઓનો આંક 50 થી નીચે ગયો છે જે જિલ્લા માટે ખૂબ જ સારા સમાચાર છે. તેથી હવે અમરેલી જિલ્લામાં કોરોના શૂન્ય તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 4 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત કુલ 49 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 4 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3725 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોનાથી 56 વર્ષીય વૃદ્ધનું મોત, વધુ 4 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 49 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3725 પર


















Recent Comments