અમરેલી જિલ્લામાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે જિલ્લામાં ફક્ત 1 પોઝિટિવ કેસ નોંધાયો. જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. અમરેલી જિલ્લો હજુ કોરોના મુક્ત થયો નથી માટે લોકોને જ્યારે બહાર જવાનું થાય ત્યારે માસ્ક ચોક્કસ પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું અવશ્ય પાલન કરી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખે. આજ તા. 7 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં આજે વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ 23 દર્દી સારવાર હેઠળ છે. આજે 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3831 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 1 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3831 પર


















Recent Comments