અમરેલી

અમરેલીમાં વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું

સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડી માં 153 દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન 35 દરદીએ લાભ લીધો હતો.

આ કેમ્પ નુ દિપ પ્રાગટ્ય પ.પૂ. મહંત શ્રી નારાણદાસ સાહેબ તથા લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી માંથી લાયન્સ પ્રમુખ ભુપતભાઇ ભુવા, વિનુભાઈ આદ્ગજા, એમ.એમ.પટેલ દર્શનભાઈ તથા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથજી, મેહુલભાઈ ત્રિવેદી તથા સુદર્શન નેત્રાલય ના કર્મચારી કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમત ભાઈ કાછડીયા, કબીર સ્વયં સેવક યસ ગોસ્વામી, સારાંશ હીહોરી, પ્રકાશ બાંભણીયા, સરવૈયા દેવ, વિપુલ મહંતો વિશાલ મહંતો, (કબીર ટેકરી) વગેરે એ સેવા આપી હતી.

Related Posts