અમરેલી

અમરેલીમાં સોજીત્રાબંધુઓ દ્વારાકોરોના મહામારીમાં અનેરી સેવા

41 દિવસમાં પ0 હજાર જેટલા જરૂરિયાતમંદોને ટિફિન પહોંચાડયા

અમરેલીમાં સોજીત્રાબંધુઓ દ્વારાકોરોના મહામારીમાં અનેરી સેવાકોરોનાનાં કપરાકાળમાં પરિવારજનો પણ દૂર જતાં હોય તેવા સમયે સેવાભાવી

ઓ મદદમાં આવ્‍યાવિશ્‍વ હિન્‍દુ પરિષદનાં અનેક આગેવાનો અને કાર્યકરો પણ મદદમાં જોડાયાવિશ્‍વ હિન્‍દુ પરિષદનાં અનેક આગેવાનો અને કાર્યકરો પણ મદદમાં જોડાયા

અમરેલી શહેરમાં તા. 1પ/4/ર1થી શરૂ કરેલ વિનામૂલ્‍યે ટિફિન સેવાને આજે 41 દિવસ પૂર્ણ કરી ટિફિન સેવાને વિરામ આપેલ છે. કોરોનાની મહામારીનાં કપરા સમયે પી.પી. સોજીત્રા, જે.પી. સોજીત્રા અને હીરામોતી ચોક યુવક મંડળ તથા દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલ ટિફિન સેવાની શહેરની તમામ હોસ્‍પિટલ જેવી કે, સિવિલ હોસ્‍પિટલ, ગોળ હોસ્‍પિટલ, એઈમ્‍સ હોસ્‍પિટલ, ગજેરા હોસ્‍પિટલ, નવજીવન હોસ્‍પિટલ, આસ્‍થા હોસ્‍પિટલ, રામાનુજ હોસ્‍પિટલ, નર્સિંગ હોસ્‍ટેલ, પટેલ કન્‍યા છાત્રાલય આઈસોલેશન સેન્‍ટર, ગંગાબાઈની વાડી આઈસોલેશન સેન્‍ટર, જેશીંગપરા તેમજ શહેરમાં હોમ કોરેઈન્‍ટાઈન લોકોને કુલ મળીને અંદાજીત પ0 હજાર ટિફિનના પેકીંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવેલ. જયારે કોઈ સગા-સંબંધી પણ પાસે આવવા પણ રાજી ન હોય ત્‍યારે જે રીતે ટિફિન પહોંચાડવામાં આવ્‍યા તે કપરા અને ખરા સમયની સેવાને અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં આગેવાનો ઘ્‍વારા આજેઆ સેવાકાર્યમાં સામેલ પી.પી. સોજીત્રા, જે.પી. સોજીત્રા, ભાવિનભાઈ, ભરતભાઈ કાનાણી (વિહીપ) તથા પ્રવિણભાઈ ધાનાણી (રસોયા)નું તેમજ હીરામોતી ચોકના તમામ યુવાનોનું સન્‍માન વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ભાનુભાઈ, હસુભાઈ વગેરે વડીલોનાં માર્ગદર્શન નીચે વિહિપનાં આશીષભાઈ, રાજુભાઈ, મોહનભાઈ, જયદીપભાઈ, બાબુલભાઈ, કાચાભાઈ, ચન્‍દ્રેશભાઈ તેમજ સમગ્ર ટીમ હાજર રહી ઉપરનાં તમામ લોકોનું અભિવાદન કરી સુંદર કાર્ય કરવા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.

Related Posts