અમરેલી

અમરેલીમાં ૪.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી ચિલ્ડ્રન હોમનું  ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત લોકાર્પણ

કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યોની નિરંતર યાત્રા અંતર્ગત રાજ્યમાં થઈ રહેલા વિકાસકાર્યોની શ્રૃંખલાઓના ભાગરુપે ગત તારીખ ૧૨-૧૩ સપ્ટેમ્બર૨૦૨૨ દરમિયાન જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા‘ અંતર્ગત વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા હતા. આ શ્રેણીમાં અમરેલીમાં તા.૧૩-૦૯-૨૦૨૨ના રોજ   સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકાવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અમરેલીમાં ૪.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી ચિલ્ડ્રન હોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડૂત તાલીમ ભવનથી યોજાયેલા ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયાજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયાજિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી,  અમરેલી પ્રાંત અધિકારીશ્રીજિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના અધિકારીશ્રી – પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.

Related Posts