ગાયકવાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે.
રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો . અમરેલી શહેરમાં આવેલ રાજાશાહી વખતના રાજમહલ હાલ ખૂબ જ ખંડેર તેમજ જર્જરીત હાલતમાં છે. રાજ મહેલની કાયા પલટ કરવા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયા દ્વારા આ રાજમહલને યોગ્ય મરામત કરવામાં આવે તો અમરેલી શહેરના પ્રજાજનો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેવા ઉમદા આશયથી રાજમહલના યોગ્ય મરામત માટે ખાસ કિસ્સામાં વિશેષ ગ્રાન્ટ ફાળવવા માન. મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વેકરિયા પોતાના મત વિસ્તારના વિકાસની સાથે સાથે અમરેલી જિલ્લાના શિક્ષણ, કૃષિ, સિંચાઇ, વિજળી, રોડ રસ્તા અને પાણી પુરવઠા સહિતના અનેક કામો માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
અમરેલી આવેલ રાજમહલનું મરામત કાર્ય સત્વરે ચાલુ કરવાની રજૂઆત સંદર્ભે ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને રજૂઆત કરી

Recent Comments