અમરેલી

અમરેલી–કુકાવાવની ભોળી પ્રજાને છેતરવાની તરકીબો શરૂ કરતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી : ભાજપ

પાંચ વરસ પોતાના વિધાનસભા વિસ્તારમા દેખાયા નથી.જયારે લોકોને જરૂર હોય ત્યારે મળ્યા નથી.ખેડુતો,મજુરો ,ગરીબ, લોકોને જયારે પોતાનુ કામ પડયુ હોય ત્યારે જેનો સંપર્કપણ ન થાય.ગામડામા કે શહેરના વિકાસના કામ માટે જયારે રજુઆત કરોતો અમારી સરકાર કયા છે? તેવા જવાબ આપે એવા અમરેલી–કુંકાવાવ – વડીયાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ચુંટણી નજીક આવતા તેમને જનતા યાદ આવી છે. હવે ગામડે ગામડે લોકોનો સંપર્ક કરવા નીકળ્યા છે. ગુજરાતની ભાજપ સરકારે,કેન્દ્રની ભાજપ સરકારની નિતીઓને લીધે કે પછી જી.પં.,તા.પં કે નગરપાલીકાના ભાજપના પદાધિકારીઓની મહેનતથી ગામડા અને શહરેમા જે વિકાસના કામો થયા છે.

તેમના ફોટા પાડી,વિડીયો બનાવી પોતે આ કામ મંજુર કરાવ્યા છે.તેવી વાત કરી લોકોને ગુમરાહ કરે છે.તેમના ટેકેદારો પાસે ખોટા વિડીયો બનાવી ખોટી ગુલબાંગો ફેકે છે. હવે તો બસ કરો પરેશભાઈ, કાયમ તમે નેગેટીવ પબ્લીસીટી થી જ લોકોને છેતરીને મત મેળવો છો. ચુંટણી નજીક આવી એટલે તમને અમરેલી સાંભર્યુ બાકી તો પાંચ વર્ષ તમે કયા રહો છો તે પણ જનતાને ખબર નથી હોતી. હવે અમરેલીની જનતા જાણી ચુકી છે હવે તમારા આવા છેતરપીંડીના કીમીયા બંધ કરો પરેશભાઈ તેમ અમરેલી તાલુકા ભાજપના ધનશ્યામભાઈ ત્રાપસીયા અને કાળુભાઈ વાળાની યાદી જણાવે છે.

Related Posts