મહેનત કર્યા વગર કશુ મળતુ નથી; ભાગ્યનને દોષ દેવાનું છોડીને આત્મવિશ્વાસ પૂર્વક પોતાના સપનાને સાર્થક કરવા હું કેમ ન કરી શકુ ? એ સવાલ પુછો?? વસંત ગજેરા, સ્થાપક પ્રમુખશ્રીબે વર્ષના લાંબા સમય બાદ વિદ્યાર્થીની ઓની અભ્યાસમાં એકાગ્રતા વધે તે હેતુ થી અમોએ પુનઃ ફેકલ્ટી ડેવલપમેન્ટસ કાર્યક્રમો ચાલુ કર્યા છે-મનસુખભાઈ ધાનાણી-નિયામકશ્રી.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મઘ્યમ વર્ગીય પરિવારોની દિકરીઓ પુરૂ શિક્ષણ લઈ શકે તેવા હેતુ થી કેળવણીના પર્યાય તથા પ્રતિકસમા અમરેલીમાં એન્જિીનિયરીંગ,મેડિકલ,અમે.સી.એ,એમ.બી.એ,નર્સિંગ,ફાર્માસી જેવી વિદ્યા શાખા ઓનું શિક્ષણ ઘર-આંગણેજ ઉપલબ્ધ કરાવનાર કેળવણીકાર માન.વસંતભાઈ ગજેરા દ્વારા સ્થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલી ખાતે ધો.૧૧/૧૨ વિજ્ઞાન તથા વિનિયન શાખાની વિદ્યાર્થીનીઓ માટે સ્પષ્ટ- વકતા, સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરાનો મોટીવેશન સેમિનાર યોજાયો હતો. ગજેરા સંકુલની સ્થાપના થી જ છેલ્લા, રપ (પચીસ) વર્ષથી નિઃસ્વાર્થ તથા નિઃશુલ્ક ભાવે કેમ્પસની આગોણીસ કરતા વધુ વિદ્યાશાખાઓનું પારદર્શક તથા પ્રામાણિક સંચાલન કરતા નિયામક તથા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારમાં સેમિનારના મુખ્ય વકતાએ પોતાની મોટીવેશનલ સ્પીચ માં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતુ કે જિંદગીમાં કંઈક પ્રાપ્તિ કરવા માંગતા હો તો આત્મવિશ્વાાસ પૂર્વકની મહેનતને સફળતાનું હથિયાર બનાવો…હું કેમ ન કરી શકુ? એ સવાલ પોતાના આત્મા ને પુછીને સખત મહેનત કરી પરિવાર,સમાજ તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપો. આ તકે નિયામક તથા ટ્રસ્ટી. શ્રી મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યુા હતુ કે કોરોના મહામારીના લગભગ બે વર્ષ બાદ વિદ્યાર્થીની ઓના અભ્યાસ પ્રત્યેે આત્મ વિશ્વાર માં તથા એકાગ્રતામાં વધારો થાય તે હેતુથી અમોએ પુનઃ ફેકલ્ટીર ડેવલોપમેન્ટ કાર્યક્રમો ચાલુ કરેલ છે, સેમિનારમાં કેમ્પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ,હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઈ રામાણી, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીર્નીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.
Recent Comments