ઈફકો તથા NCUI ના ચેરમેન,સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનમાં “સહકારથી સમૃદ્ધિ” સંમેલન તથા અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું અમર ડેરી ખાતે તા. ૨૪/૦૯/૨૦૨૩, રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈપાનશેરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરિયા, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીસુરેશભાઈ પાથર, લીલીયા-સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી,લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા,ઠક્કરબાપા નગર-અમદાવાદના ધારાસભ્ય શ્રીમતિ કંચનબેન રાદડિયા,અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમર ડેરી ના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી,ઈફકોના ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ રાદડિયા, અમરેલી જિલ્લાના સહકારી સંઘના પ્રમુખશ્રી મનીષભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ ના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠભાઇ નકુમ, અમરેલીના તમામ સહકારી હોદ્દેદારો, અમરેલી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, પત્રકારોઅને વિશાળ સંખ્યામાં જનમેદનીઉપસ્થિતરહી હતી. અમરેલીખાતે અમર ડેરીના પટાંગણમાં યોજાયેલા આ “સહકારથી સમૃદ્ધિ” સંમેલનમાંગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશ માંથી જાહેર થયેલા નેશનલ એવોર્ડ માટે ડૉ. કેતન કાનપરિયા નું જાહેર સન્માન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામના વતની,સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લીલીયાના ગુજરાતી વિષયના પ્રોફેસર અને ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વિવેચક,સંશોધક એવાડૉ. કેતન વિનુભાઈ કાનપરિયાની“પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્યકાર સન્માન- ૨૦૨૩” માટે પસંદગી કરવામાં આવી છે. શ્રીભાઉરાવ દેવરસ સેવા ન્યાસ, લખનૌ (ઉત્તરપ્રદેશ) દ્વારા ઈ.સ. ૧૯૯૫ થી દર વર્ષે ભારતીય ભાષાઓમાંથી કોઈ એક યુવા સાહિત્યકારને સમગ્ર ભારતમાંથી પસંદ કરીને રાષ્ટ્રીય કક્ષાનો આ એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ સંદર્ભે ડૉ. કેતન કાનપરિયા નું વર્ષ-૨૦૨૨ માં પ્રગટ થયેલ પુસ્તક “ભારતીયતા: એક વિશિષ્ટ ભાવધારા’ તથા અન્ય વિશિષ્ટ કહી શકાય એવી સાહિત્યિક ઉપલબ્ધિઓને ધ્યાનમાં લઈને સમગ્ર ભારતમાંથી “પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્યકાર સન્માન- ૨૦૨૩” માટેડૉ. કેતન કાનપરિયાનું નામ લખનૌ (ઉત્તરપ્રદેશ) થી ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યું છે.ઈ.સ. ૧૯૯૫ થી દર વર્ષે એનાયત કરવામાં આવતો આ રાષ્ટ્રીયએવોર્ડ અત્યાર સુધીમાં ઈ.સ. ૨૦૦૧ માં ગુજરાતના સાહિત્યકારને મળ્યો હતો. ત્યાર બાદ ૨૧ વર્ષ પછી ઈ.સ. ૨૦૨૩ ના આ રાષ્ટ્રીય એવોર્ડ માટે સમગ્ર ભારતમાંથી ગુજરાતના સાહિત્યકાર ડૉ. કેતન કાનપરિયાનું નામ જાહેર થયું હોવાથી હવે સમગ્ર ગુજરાતનું ગૌરવ બનેલા ડૉ. કેતન કાનપરિયાનું અમરેલી જિલ્લામાં સૌથી પહેલા સન્માન કરવાનો ઉમદા વિચાર શ્રી દિલીપભાઈ સંઘાણીએ વ્યક્ત કર્યો.શ્રી ભાઉરાવ દેવરસ સેવા ન્યાસ, લખનૌ(ઉત્તરપ્રદેશ) દ્વારા આગામી દિવસોમાં યોજાનારાઆ એવોર્ડના અર્પણવિધિ કાર્યક્રમમાંડૉ. કેતન કાનપરિયાનું સન્માન કરવામાં આવે એ પહેલા સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી એ અમર ડેરી ખાતે તા. ૨૪/૦૯/૨૦૨૩, રવિવારના રોજયોજાયેલા “સહકારથી સમૃદ્ધિ” સંમેલનમાં ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે વિશિષ્ટ પ્રકારના મોમેન્ટો દ્વારા ડૉ. કેતન કાનપરિયાનું જાહેર સન્માન કર્યું છે. આ સન્માન પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ડૉ. કેતન કાનપરિયાને પુષ્પગુચ્છ દ્વારા તેમજ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અમરેલી જિલ્લાના સલડી ગામના ખેડૂતપૂત્ર ડૉ. કેતન કાનપરિયાની આ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થતા “સહકારથી સમૃદ્ધિ” સંમેલનમાં તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થવા બદલ ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ, NCUI તથા ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ ડૉ. કેતન કાનપરિયા ને સવિશેષ શુભકામનાઓ પાઠવી છે તેમજ માત્ર અમરેલી જિલ્લાનું જ નહિ પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.
Recent Comments