રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના અનુસુચિત જાતિના યુવાનો અને યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન અમરેલી જિલ્લાનાં તમામ તાલુકામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લાનાં પ્રત્યેક તાલુકામાં યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫- યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ઓક્ટોબર મહિનામાં યોજાશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેનાં ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવશે.
જયારે શિબિરાર્થીઓનાં શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારનાં આસનોનાં પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને આવવા-જવાનો પ્રવાસખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ શિબિરનો લાભ લેવા ઈચ્છિત માત્ર અનુસુચિત જાતિના અમરેલી જિલ્લાનાં યુવક યુવતીઓ આ તાલીમ શિબિરમાં જોડાવા માટેનું ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ.૧૧૦-૧૧૧,અમરેલી ખાતેથી મેળવી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments