અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને તેમની માલિકીની જમીનના પાનીયા અલગ કરવા સારૂ પરીપત્રના અર્થઘટનનમાં વિસંગતતાઓ દૂર કરવા ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી. જે અન્વયે તા. ૧૬/૦૨/૨૦૨૩ના રોજ કલેકટરશ્રી, અમરેલીએ તમામ પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીને પત્ર પાઠવીને પાનીયા અલગ કરવા સુધારા હુકમ કરી ગ્રામ દફતરે અમલવારી કરવા જણાવેલ છે.
ખેડૂતપુત્ર અને અમરેલી ધારાસભ્ય/ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ અમરેલીના ખેડૂતો સરળતાથી જમીનના ભાગ પાડીને પાનીયામાં સુધારો કરે તેવા ઉમદા આશયથી કલેકટરશ્રી, અમરેલી દ્વારા આ હુકમ કરેલ છે. જેને અમરેલીના ખેડૂતભાઇઓએ વધાવેલ છે. અને માન. નાયબ મુખ્ય દંડકશ્રી, કૌશિકભાઇ વેકરિયાને શુભેચ્છાઓ પાઠવી છે.
Recent Comments