અમરેલી

અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ, જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો નિર્ધાર

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓમાં શુક્રવારથી પ્રારંભ થયો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ધારી, કુંકાવાવ વડિયા, બાબરા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થયો હતો. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પૂર્વનિર્ધારિત રુટ મુજબ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ધારી તાલુકાઓના ગામડાઓમાં તા.૨૪ નવેમ્બરથી તા.૨૯ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી,૨૦૨૪ સુધી પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા.૧૬ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. રાજુલા તાલુકામાં આ યાત્રા તા.૨૪ નવેમ્બરથી તા.૨૮ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. બાબરા તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા.૨૨ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે.

     સાવરકુંડલા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્ર’નો પ્રારંભ સાવરકુંડલા તાલુકાના પીઠવડી મુકામે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સાવરકુંડલા- લીલીયા, પ્રાંત અધિકારીશ્રી, સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી , સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રી ઓ-કર્મચારીશ્રીઓ અને લાભાર્થીઓની વિશાળ હાજરીમાં રથને લીલીઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

     રાજુલા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ રાજુલા-જાફરાબાદ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓના હસ્તે રથને લીલીઝંડી બતાવી કરાવવામાં આવ્યો હતો. ધારી તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને પ્રાંત અધિકારીશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા ધારી તાલુકા પંચાયત કચેરીથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

     કુંકાવાવ-વડીયા તાલુકામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને લીલીઝંડી બતાવી તાલુકાના વિવિધ ગામમાં પ્રસ્થાન કરવાવામાં આવ્યું હતું.

     આ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જનકલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Related Posts