આજે ૧૯ માર્ચને શનિવારે રાજ્ય સરકારના ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨’નો રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમ યોજાનાર છે . જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે સવારે ૯:૦૦ વાગ્યે રાજ્ય કક્ષાના કાર્યક્રમની સાથે સાથે જિલ્લા કક્ષાના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ નો પ્રારંભ કરવામાં આવનાર છે.
આ વેળાએ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, જળ સંચય ક્ષેત્રે કાર્ય કરતા સામાજિક કે સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહેશે.
Recent Comments