અમરેલી

અમરેલી જિલ્લાની દરેક સરકારી કચેરીમાં પ્રવેશ મેળવવા કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરૂરી

તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે બાબતે સંબંધિત કચેરીના વડાએ તેઓની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવા પરિપત્ર કર્યો છે. જેના અનુસંધાને અમરેલી વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની દરેક કચેરીઓને આ પરિપત્રની અમલવારી કરવા તથા તાબાની કચેરીઓને જાણ કરી અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી છે.

Related Posts