અમરેલી

અમરેલી જિલ્લાની વિવિધ આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા ૨૦ જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ખાંભા અને બાબરા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ચાલતા વિવિધ પ્રકારના ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૧માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોની સુવિધા માટે તેમના રહેઠાણની નજીક કોઈ પણ સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦/- ભરીને ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in અને https://talimrojgar.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર પ્રવેશફોર્મ તા. ૨૦/૭/૨૦૨૧ સુધીમાં ભરવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૧/૭/૨૦૨૧ છે. ધોરણ ૮ અને ૧૦ માં પાસ ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં સંસ્થાનો સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી માટે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.

Related Posts