વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો માટે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા ૯૪-ધારી વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે IAS શ્રી સૂરજકુમાર, ૯૫-અમરેલી અને ૯૬-લાઠી વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે IAS શ્રી અભિનવ ચંદ્રા અને ૯૭-સાવરકુંડલા, ૯૮-રાજુલા વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે IAS શ્રી. બાલચંદ્ર એસ.એન. ની નિમણુક કરવામાં આવી છે. સમગ્ર જિલ્લાના પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી.જી. શિવકુમારની નિમણુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી રામક્રિષ્ન કેડિયા અને શ્રી ગુંજનકુમાર વર્માની નિમણુક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો પર જનરલ અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક

Recent Comments