હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૯ માર્ચ, ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી અમરેલી જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્ય પગલાઓ ભરવા સૂચના છે. પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તે પાકોને પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરાં પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જરુરી છે. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા તેમજ સાવચેતી જાળવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments