અમરેલી

અમરેલી જિલ્લામાં આગામી તા.૦૯ ડિસેમ્બર દરમિયાન યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૭.૧૦.૨૦૨૩ (શુક્રવાર) થી શરુ થયેલા આ અભિયાન આગામી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ (શનિવાર) સુધી નક્કી કરવામાં આવ્યું છે. તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. આગામી તા.૨૬.૧૧.૨૦૨૩ (રવિવાર), તા.૦૨.૧૨.૨૦૨૩ (શનિવાર) તથા તા.૦૩.૧૨.૨૦૨૩ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો રહેશે. આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૭૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી સુધારા/કમી માટેનો ફોર્મ્સ સ્વીકારશે.

જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવે છે.

       ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ પ્લેટફોર્મ મારફત નાગરિકો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેવા કે Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/  BLO App (BLO મારફત વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts