અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને સહાય આપવાની જોગવાઇ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નમુનાનું અરજી ફોર્મ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની વેબ સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ વેબસાઇટ https://amreli.gujarat.gov.in/news/application-form-for-covid-19-death-assistance-25112021 પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત નિયત નમુનાનું ફોર્મ જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીમાંથી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએથી પણ મળી શકશે અને સંબંધીત કચેરીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરી રજૂ કરવાનું રહેશે


















Recent Comments