અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૦૬ નવેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી

હાલમાં ચાલી રહેલી તહેવારોની શ્રૃંખલાઓ અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧)૩૭(૩)અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૦૬ નવેમ્બર૨૦૨૨ સુધી જિલ્લામાં શસ્ત્રોદંડાતલવારબંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાનીસ્ફોટક પદાર્થો લઈ જવાનીવ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભામંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓ,  સ્મશાન યાત્રાવરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરૂરી છે તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

જય                                                                         ૦૦૦

Related Posts