અમરેલી

અમરેલી જિલ્લામાં વિશ્વ વસતિ દિન અંતર્ગત બીજા પખવાડીયા ઉજવણી કરવામા આવશે

અમરેલી જિલ્લામાં વિશ્વ વસતિ દિન અંતર્ગત બીજા પખવાડીયા ઉજવણી કરવામાં આવશે.  બીજું પખવાડીયું તા.૧૧-૭-૨૦૨૨ થી તા.૨૪-૦૭-૨૦૨૨ સુધી ઉજવવામાં આવશે. અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયેશ પટેલે જણાવ્યું છે કેઆ ઉજવણીમાં માતા પિતા બનવાની ઉંમર હોય તેવા દંપતિઓનો ઘરે – ઘરે જઈ સંપર્ક કરવામાં આવશે. આ દંપતિઓને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. બીજા પખવાડીયામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશન અને આઈ.યુ.ડી. કેમ્પ પણ યોજવામાં આવશે.  કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓના કેમ્પ યોજીને દંપતિઓને કુટુંબ નિયોજનના વિશેષ માર્ગદર્શન અને માહિતીથી તજજ્ઞો દ્વારા વાકેફ કરી લાભાન્વિત કરવામાં આવશે. વધુમાં આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય ફેસિલિટી ઉપર નિરોધ કોર્નર‘ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.  વધુમાં અમરેલીસાવરકુંડલા તથા રાજુલા ખાતે વિશ્વ વસતિ દિનની ઉજવણીનાં ભાગરૂપે જનજાગૃત્તિ રેલી પણ યોજવામાં આવશે.  વધુમાં વધુ દંપતીઓને કુટુંબ નિયોજનના આ  જનજાગૃત્તિ કાર્યક્રમમાં જોડાઈને

લાભ લેવામુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અપીલ કરી છે.

Related Posts