અમરેલી જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રીઅનેપુર્વમાધ્યમિકશિક્ષક સંઘના પ્રમુખ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ સેનેટ મેમ્બર તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને જનતા વિદ્યાલય વડેરાના પ્રિન્સીપાલ શ્રી મુકુંદભાઈ મહેતાની ફિ અધિનિયમ કમિટી(એફઆરસી) રાજકોટ ઝોનના સભ્ય પદે રાજય સરકાર દ્વારા ગૌરવ પદ નિમણુંક કરવામાં આવી છે.
આ કમિટીમાં ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન માટે અધ્યક્ષ પદે ડિસ્ટ્રીકટ જજ શ્રીમતી અગ્રાવત તથા સભ્ય તરીકે પ્રભુભાડ કરશનભાઈ સિંધવ, પ્રવિણભાઈ વસાણીયા અનેદિક હર્ષદભાઈ વ્યાસ તથા અમરેલી મુકુંદભાઈ ચંદુલાલ મહેતાની ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. તેમ શિક્ષણ વિભાગના નાયબ સચિવહિતેષપી. ગોહિલે જણાવ્યું છે.કુલચાર ઝોનમાં ફિ નિયમન સમિતીની રચના થઇ છે જેમાં ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલની જોગવાયો તથા સુપ્રીમ કોર્ટનાઆદેશો અનુસાર વનચાણે લીધેલા ઠરાવ વિગેરે ધ્યાને લઈ મળેલ બેઠકમાં વરણી થયાનું જાણવા મળ્યું છે.
Recent Comments