ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર-ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, અમરેલી દ્વારા ૨૫૦ થી વધુ આપદા મિત્રોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સહયોગી તરીકે એન.ડી.આર.એફ, ફાયર વિભાગ, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી પણ જોડાયા હતા. આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ?, પ્રાથમિક સારવાર, સી.પી.આર, ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ વગેરે જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા વિગતો આપી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ૨૫૦ થી વધુ આપદા મિત્રોને તાલીમ

Recent Comments