અમરેલી

અમરેલી જિલ્લા કોન્ગ્રેસ અનુસુચિત જાતી વિભાગ દ્વારા દિલ્હીના મુખ્ય મંત્રીને દિલ્હી કેંટ વિસ્તારમાં આવેલ નવ વર્ષીની બાળકી ઉપર બળાત્કાર કરી, હત્યાના બનાવમાં અપરાધીને ફાંસીની સજા અને પીડિતાના પરિવારને રક્ષણ તેમજ આર્થિક સહાય આપવા અંગે રજૂઆત કરાઈ

દિલ્હીના કેંટ વિસ્તારમાં વાલ્મીકી સમાજનાં મોહનભાઈ વાલ્મીકી તેમના પરિવાર સાથે રહે છે. તેમની ૯ વર્ષની દીકરીને સ્મશાન માં રહેતા પુજારી તેમજ ચાર નરાધમોએ બાળકી ઉપર બળાત્કાર ગુજારીને સળગાવી દીધી છે. આવા ગુનાહિત કૃત્યને સરકારે ક્યારેય ચલાવી લેવાય નહિ. આવા બળાત્કારી ગુન્હેગારો કાયદા ની ચુન્ગાલમાંથી છૂટી નાં જાય ટે જોવાની સરકારની જવાબદારી છે. આવા નરાધમ બળાત્કારીઓને ફાંસીની સજા થાય અને પીડિતાના પરીવારને આર્થિક સહાય આપી સુરક્ષાની જોગવાઈ કરવા અમો દેશનાં સમગ્ર દલિત સમાજ વતી નમ્ર અપીલ કરીએ છીએ. આ કિસ્સામાં ક્યાય ભીનું ન સંકેલાય ટે જોવા આપ અંગત રસ લઇ જરૂરી સૂચનાઓ આપવા વિનતી છે.
સમગ્ર દેશનાં દલિત સમાજની લાગણી દુભાય છે. આવું કૃત્ય કરનારને માફ ન કરી શકાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે. કે બળાત્કારી હત્યારાઓને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય અને તેમના પરિવારને પુરતું રક્ષણ આપીને આર્થિક સહાય આપવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts