અમરેલી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૧ જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે. ધો.૧૦થી ઓછું અને ધો. ૧૦ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન, અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો આગામી  તા.૧૧/૦૧/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન અમરેલી ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.  અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક   https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts