અમરેલી

અમરેલી જિલ્લા સંકલન સમિતિ બેઠક તા.૨૬ જુલાઈએ યોજાશે

 ચોમાસુ ઋતુ માટે જરુરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવા માટે અમરેલી જિલ્લાનાં ખેડૂતોને અનુરોધ છે. છેતરપીંડીથી બચી શકાય તે માટે, ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. લાઈસન્સ-પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ખેતી માટે જરુરી વિવિધ ઇનપુટોની ખરીદી ક્યારેય પણ, કોઇપણ સંજોગોમાં કરવી નહી.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પુરું નામ, સરનામું, ખરીદવામાં આવ્યા હોય તે ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું, સહી સાથેનું બિલ અવશ્ય લેવું. મુદત પૂરી થઈ હોય તેવા ઇનપુટોની ખરીદી કોઈપણ સંજોગમાં કરવી નહી. વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારવા પાકને નિંદામણ મુક્ત રાખવો. અનઅધિકૃત્ત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું ધ્યાને આવે તો સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) ને તાત્કાલિક જાણ કરવી.

સરકાર દ્વારા જિલ્લા કક્ષાની ઉભા પાકની સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ જે-તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તથા સભ્ય તરીકે જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) તથા કૃષિ યુનિવર્સીટી કૃષિ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખરીદેલા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં કોઇ ફરિયાદ જણાઈ તો આવી ફરિયાદના નિવારણ અર્થે તે સમિતિનો સંપર્ક કરવો.ઉભા પાકની ફરિયાદ માટે અરજદાર દ્વારા સબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ફરિયાદ કરવાની રહે છે, જે ફરિયાદના આધારે સ્થળ પર ઉભા પાકની સમિતિ દ્વારા મુલાકાત કરવામાં આવશે. આ બાબતે જે હકીકત હોય તે મુજબ નુકશાનીના અંદાજ સાથે ખેડૂતને તેનો અહેવાલ આપવામાં આવે છે. જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરુપ થાય છે, તેમ અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)એ એક યાદીમાં જણાવ્યું છે. 

Related Posts