સમગ્ર દેશમાં ગત વર્ષેપ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સનો કોરોનાકાળમાં ઉત્સાહ વધારવા દેશવાસીઓ પાસે તાલી, થાલી વગાડીને ઘરે-ઘરે દિવડાઓ પ્રગટાવ્યા અને હવે કોરોના વોરિયર્સ ગણાતી આશાવર્કરોને ન્યાય આપવામાં ઠાગાઠૈયા થઈ રહૃાા છે.
દરમિયાનમાં ભાજપની ભગિની સંસ્થા ભારતીય મઝદુર સંઘે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને આશાવર્કર બહેનોની પડતર માંગ સંતોષવા માંગ કરેલ છે.
આવેદનપત્રમાં પગાર વધારવા, સર્વેનું વેતન, મમતા દિવસનું વેતન, નાસ્તાનું વેતન સહિતનાં પ્રશ્નોનું નિરાકરણ કરવા નહિ તો પાંચ દિવસ બાદ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.
Recent Comments