અમરેલી

અમરેલી જિલ્‍લા પંચાયતમાં નિયમ વિરૂદ્ધ તલાટી મંત્રીની બદલી થશે તો આંદોલન

લાઠી- બાબરાના ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જિલ્‍લા વિકાસ અધિકારીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં જુદા-જુદા પ્રેસ મીડિયા મારફત તલાટી કમ મંત્રીઓની બદલી કરવા માટે સમાચાર પ્રસિઘ્‍ધ થઈ રહયા છે. આ પ્રસિઘ્‍ધ થયેલા સમાચારો સાચા હોય તો જો કે હું માનતો નથી દલિત તલાટી કમ મંત્રીઓ તેમજ અન્‍ય તલાટી કમ મંત્રીઓનું અલગ લીસ્‍ટ બનાવવામાં આવેલ છે અને માત્ર રાજકીય હેતુથી ગ્રામ પંચાયત ચૂંટણીને ઘ્‍યાનમાં રાખી આવી બદલી કરવા માટે રાજકીય પક્ષ દ્વારા આપના પર દબાણ લાવવાના સમાચાર પ્રસિઘ્‍ધ થયેલા છે. પરંતુ માત્ર ચૂંટણીલક્ષી આવા તલાટી કમ મંત્રીઓના નિયમ વિરૂઘ્‍ધ બદલી કરાવવા માટે રાજકીય પક્ષ દ્વારા દબાણ થતું હોય તે વ્‍યાજબી નથી.

આપએક એડમીનીસ્‍ટ્રેટીવ અધિકારી છો ત્‍યારે કોઈપણને અન્‍યાય ન થાય અને બદલી માટેના જે ધોરણો બનાવો તે પ્રમાણે જ બદલી થાય તે માટે આ પત્રથી રજૂઆત કરી રહયો છું.

નિયમ વિરૂઘ્‍ધની કોઈપણ બદલી હશે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આપની કચેરી સામે ભવિષ્‍યમાં આંદોલન કરવામાં આવશે જે ઘ્‍યાને લઈ નિયમ પ્રમાણે પ (પાંચ) વર્ષ અથવા 3 (ત્રણ) વર્ષ પ્રમાણે બદલવામાં આવે કોઈને પણ અન્‍યાય ન થાય તે પ્રમાણે બદલી થાય તે તમામ બાબત ઘ્‍યાનમાં રાખવા આ પત્રથી રજૂઆત છે.

વધારામાં જણાવવાનું કે, તાજેતરમાં તૌકતે વાવાઝોડાના કારણે હજુ સુધી સહાય ચૂકવવામાં અનિયમિત હોય તે અંગેના પ્રશ્‍નો જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિમાં ચાલી રહયા છે તે બાબતને પણ ઘ્‍યાનમાં રાખશો તેવી પત્રથી રજૂઆત કરી રહયો છું તેમ અંતમાં જણાવેલ છે.

Related Posts