પ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જિ૬ત્સિલામાં તા. ૩ સપ્ટેમબર ર૦રર ને શનિવાર નાં રોજ બપોરે ૩:૦૦ કલાકે, ખેડુત તાલીમ કેન્દ્ર ભવન, લીલીયા
રોડ, અમરેલી ખાતે રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચાનાં અધ્યક્ષ તેજસ્વી ” યુવા સંમેલન કાર્યક્રમ ” માં યુવાનોને સંબોધવા માટે આવનાર છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જિ૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ જિ૬ત્સિલા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન શીયાળ, મહામંત્રી મૌલીક
ઉપાધ્યાય, જગદીશ નાકરાણી દ્રારા જિ૬ત્સિલાનાં તમામ મંડલોનાં યુવા મોરચાનાં પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તથા મંડલોનાં હોદેદારશ્રીઓ સાથે બેઠક કરી હતી અને આ યુવા સંમેલનમાં બહોળી સંખ્યમાં ઉમટી પડવા માટે આહવાન કરેલ.
આ યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરોશતમભાઈ રૂપાલા સાહેબ, એન.સી.યુ.આઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, પ્રદેશ યુવા મોરચાનાં અધ્યક્ષ ડો.પ્રસાંત કોરાટ, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ મનીષ સંઘાણી, પ્રદેશ ઉપપ્રમુખ અને જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા, ત્રિકમભાઈ પટેલ, પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે વી કાકડીયા, જીલ્લામાં રહેતા પ્રદેશનાં હોદેદારશ્રીઓ, જિ૬ત્સિલા ભાજપનાં હોદેદારશ્રીઓ, જિ૬ત્સિલા ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જીલ્લાનાં તમામ ચુંટાયેલા જિ.પં., તા.પં. અને ન.પા.નાં સભ્યશ્રીઓ, તમામ મંડલોનાં હોદેદારશ્રીઓ, તમામ મંડલ મોરચાનાં હોદેદારશ્રીઓ, ભાજપનાં આગેેવાનો અને શુભેચ્છકોને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
Recent Comments