અમરેલીના પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લામાં ચાલી રહેલ ગેરકાયદેસર પવનચકકીઓના કામો બધ રખવાવા બાબતે જીલ્લા વહીવટી તત્ર અને જીલ્લાના જવાબદાર આગેવાનોને અપીલ કરતા જણાવેલ છે કે, બે દિવસ પહેલા બાબરા તાલુકામા પવનચકકી તૂટવાનો બનાવ બનવા પામેલ છે જ અતિ ગભીર બાબત છે. આજે તત્ર દ્વારા બાબરા, લાઠી, સાવરકુંડલા, ધારી, ખાભા અને રાજુલા એમ અનેક તાલુકાઓમા પવનચકકીઓ ઉભી કરવા માટેની આડેધડ મજૂરી આપવામા આવી રહી છે. ત્યારે કપની કે સ્થાનિક કોન્ટ્રાકટરો દ્વારા આવી પવનચકકીઓ ગામની નજીક, સ્કુલની નજીક, ખેડૂતોના વર્ષો જુના વાડી રસ્તાઓમાં ઉભી કરવામાં આવે છે. જેના લીધે ગામ લોકો, બાળકો અને ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ પડે છે. આ બાબતે અમે અનેક વખત લેખીતમાં રજૂઆતો કરેલ હોવા છતા તેમજ જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતા તંત્ર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. ભવિષ્યમાં ગમે ત્યારે મોટા અકસ્માતો સજૉશ ત્યારે તંત્ર ધોર નિદ્રા માથી જાગશે.
આજે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામ ગામની તદ્દન નજીક પવનચકકી ઉભી કરવામા આવેલ છે જેના લીધે લોકો રાત્રે સરખી રીતે ઉથી પણ શકતા નથી તેટલો અવાજ આવે છે છતા કોઈ કાર્યવાહી થતી નથી. તેવીજ રીતે બાબરા વિસ્તારમા પવનચકકી તદન સ્કુલની બાજુમા પાછળના ભાગે ઉભી કરવામાં આવી છે.
તત્ર તરફથી પવનચકકી ઉભી કરવા માટે ગૌચરની જમીન કે સરકારી જમીન અથવા જયા જમીન ફાળવેલ હોય ત્યા નહી પરંતુ કપની અને કોન્ટ્રાક્ટરાને સરળ અને સારૂ લાગે ત્યાં પવનચકકીઓ ઉભી કરી દેવામા આવી રહી છે. ગમે ત્યા પોલ ઉભા કરી દેવામા આવે છે. ખેડૂતોની માલીકીના ખેતરમા, રસ્તામા, ખેડૂતોનો પાક ઉભો હોય તો ખેડૂતોને પૂછયા વગર ખુલ્લી દાદાગીરીથી આ બધા કાર્મો થઈ રહયા છે એવી અનેક વખત તત્ર સમક્ષ અમે રજૂઆતો કરેલ છે છતા તત્ર
ઘોર બેદરકારી દાખવી રહયુ છે.
પૂર્વે સાસદે વધુમા જણાવેલ છે કે, આવા બીનઅધિકૃત કામોમા કોઈ ખેડૂત વિરોધ કરે તો તુરત જ સ્થાનિક માથાભારે કોન્ટ્રાકટરો દ્વારા સ્થાનિક પોલીસને બોલાવી ખેડૂતોને પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવવામાં આવે છે અને બીન અધિકૃત કામો કરવામા આવે છે. સૌની યોજનાની લાઈન હોય, જેટકોની લાઈન હોય, પાણી પુરવઠાની લાઈન હોય, ગેસની લાઈન હોય કે પછી અન્ય યોજનાની લાઈન હોય તેમા ખેડૂતોને ખુબ જ ઓછુ વળતર આપવામાં અવ્યુ હોય છે અથવા તો વળતર જ આપવામાં આવેલ નથી હોતુ. આ બધી લાઈનો માટે સરકાર તો પુરૂ વળતર આપે છે પરંતુ
કોન્ટ્રાકટરો ખેડૂતોને વળતર આપતા નથી અને ખેડૂતોનુ વળતર સ્થાનિક કોન્ટ્રાક્ટરો જ ખાવ જાય છે. ઉપરાંત માથાભારે કોન્ટ્રાકટરો અમુક લાઈન નાખ્યા પછી વધારાની માટી પણ ખેડૂતોના ખેતરમાં એમની એમ જ રહેવા દે છે જેના લીધે પાછળથી ખેડૂતોને જ માટી હટાવવી પડે છે. વરસ વરસ સુધી ખડૂતોના ખેતરમા પાઈપ લાઈનો પડી રહેતી હોય, ગટર ખોદી નાખી હોય તેવા સજોગોમાં ખેડૂતો વાવણી પણ કરી શકતા નથી. સ્થાનિક કોન્ટ્રાકટરો દ્વારારસ્તાઓ બધ કરી દીધા હોવાના કેસો પણ પુષ્કળ બને છે. વર્તમાનમાં સમગ્ર અમરેલી જીલ્લામા આવા અનેક પ્રશ્નો ઉભાછે. તો આવા પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તેવી જીલ્લા વહીવટી તંત્ર અને જવાબદારી નિભાવતા આગેવાનોને પૂર્વ સાસદશ્રી નારણભાઈ કાછડીયાએ અપીલ સહ અરજ કરેલ છે
Recent Comments