કેતનભાઈ મહેતા, જતીનભાઈ મહેતા, સંદિપભાઈ ત્રિવેદી પરિવાર એ ધર્મલાભ લીધો બીપીનભાઈ ભરાડ, અશ્વિનભાઈ ઠાકરએ યજ્ઞવિધી સંપન્ન કરાવી નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન તષારભાઈ જોષી ઉપસ્થિત રહયા
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.15/10/2023 નાં રોજ શ્રી કેતનભાઈ મહેતા,શ્રી જતીનભાઈ મહેતા,શ્રી સંદીપભાઈ ત્રિવેદી સહિત નવકાર ગ્રુપ ને ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો અને યજ્ઞ વિધી કરી.ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી બીપીનભાઈ ભરાડ, શ્રી અશ્વિનભાઈ ઠાકર એ ગાયત્રી યજ્ઞ કરાવ્યો આ તકે શ્રી તુષારભાઈ જોષી પરિવાર સહિત નાં અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહ્યા સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. તેમ સંસ્થાની યાદીમા જણાવેલ છે.
Recent Comments