અમરેલી જીલ્લાના વડીયા નામદાર કોર્ટમાં સીનીયર અડવોકેટ એન.વી. રાઠોડ સાથે વડીયાના જયુડી. મેજી. ફ.ક. સાહેબે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી એડવોકેટનું સ્વમાન ભંગ થાય તેવું વર્તન કરેલ હતું. તેમજ વડીયાના જજ સાહેબે અણછાજતું વર્તન કરી પોલીસને એડવોકટ રાઠોડને કોઈપણ જાતના વાંક વગર ધરપકડ
કરવાની સુચના આપતા એડવોકેટ એન.વી. રાઠોડ હાર્ટના દર્દી હોય, હાર્ટ એટેક આવતા સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડેલ હતી, જયાં સારવાર બાદ તેની તબીયતમાં સુધારો થયેલો હતો.
આ બાબતે આજરોજ અમરેલી જીલ્લા વકીલ મંડળ દવારા તમામ તાલુકા મંડળના પ્રમુખોની તથા જીલ્લાવકીલ મંડળના સભ્યોની તાત્કાલીક મીટીંગ આજરોજ તા.૦૧–૦૮–ર૦રર બોલાવેલ અને તમામ વકીલોની હાજરીમાં સર્વાનુમતે મીટીંગમાં નકકી થયા મુજબ અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ નામદાર કોર્ટની કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.
આ બનાવની વિગત જોઈએ તો તા. ૩૦–૦૭–ર૦રર ના રોજ વડીયાના જયુડી. મેજી. ફ.ક. સાહેબની કોર્ટમાં એડવોકેટ એન.વી. રાઠોડ ની મુદત હોય અને તે મુદત સબંધે સાહેદોને બોલાવી જુબાની લેવાની માટે નામદાર સાહેબને જણાવતા, નામદાર સાહેબ એડવોકેટ ઉપર ખુબ જ ગરમ થઈ જતા કહેવા લાગેલ કે તમે કોર્ટને શીખવાડશો કે કોર્ટ કઈ રીતે ચાલશે અને ચાલુ અદાલતને એડવોકેટનું અપમાન કરેલ, છતા પણ એડવોકેટએ નમ્રપણે વર્તન કરેલ છતા પણ નામદાર સાહેબે ખુબ જ અશોભનીય વર્તન કરેલ, અને એડવોકેટ હાર્ટના દર્દી હોય જેના કારણે તેઓની તબીયત લથડતા તેઓને વડીયા સરકારી હોસ્પીટલ ત્યારબાદ અમરેલી સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ.
ઉપરાંત નામદાર સાહેબે તદન ખોટી રીતે એડવોકેટ એન.વી. રાઠોડ તથા તેના પુત્ર મેહુલ રાઠોડની સામે ફોજદારી કેસ નં. ૩/રર થી આઈ.પી.સી. કલમ – રર૮, રર૪, રરપ મુજબ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ – ૩૪૬બ્?ઉસ મુજબ ઈંકવાયરી કેસ દાખલ કરીને તેઓ સામે વોરંટનો હુકમ કરેલ છે. જે હુકમ રદ થવા તેઓએ નામદાર ડીસ્ટ્રીક કોર્ટમાં રીવીઝન દાખલ કરતા , જે વોરંટનો હુકમ સામે સ્ટે આપવામાં આવેલ છે.
આવી જ રીતે નામદાર સાહેબે વડીયા તેમજ જીલ્લાના ઘણા એડવોકેટ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરેલ હોય, તેમજ અગાઉ તેઓએ જે કોર્ટમાં ફરજ બજાવેલી, ત્યાં પણ તેઓએ વકીલોને અપમાનીત કરી હડધુત કર્યા હોય અને તેથી વકીલોએ હડતાલ કર્યાના પ્રસંગો બનેલા છે, આ બનાવથી રોષે ભરાયેલા જીલ્લાના તમામ વકીલોએ આજરોજ તા. ૦૧–૦૮–ર૦રર થી અમરેલી જીલ્લા વકીલ મંડળ તરફથી અચોકકસ મુદત સુધી અરજન્ટ કામગીરી સહિત તમામ નામદાર કોર્ટની કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે.
જેમાં એલ.એન. દેવમુરારી (પ્રમુખ), ઉદયન ત્રિવેદી, સાકીર ત્રવાડી, અજય પંડયા, રમેશ ખીમસુરીયા,સેક્રેટરી સાજીદખાન પઠાણ, એ.સી. વરીયા, ચંદ્રેશરાઠોડ, દડુ ખાચર, આર.એમ.કાપડીયા,મુકુંદ જોષી, કમલેશ સોલંકી, સુર્યકાંત વિસાણી, ચેતન રાવળ, અશ્વીન પટેલ, ચંદ્રેશ મહેતા, જયોતિન્દ્ર ગોરખીયા, એ.એમ. કુરેશી, જીવરાજ પરમાર, હરેન્દ્ર વાળા, જે.પી. ત્રિવેદી, સંદિપ પંડયા, બી.બી. જેઠવા, ગોપાલ ઠાકર, જીગીશુ મહેતા, ભાવેશ કણજારીયા, ધર્મેશ પંડયા, સુરેશ ભાલાળા, રાહુલ સોલંકી, સંજય મહેતા, સુરેશ મકવાણા, શોયેબ બીલખીયા, અજીત સોલંકી, એ.યુ.એહલે, સંજય ચાવડા, હરનીલ ત્રિવેદી, બી.કે. ચાવડા, જે.ડી. પાઠક, હાર્દીક જોષી, હિરેન કાલાવડીયા, ઉમેશ તેરૈયા, હાર્દીક લચ્છા, હાર્દીક તેરૈયા, અશ્વિન ગોહેલ, હિંમત સોલંકી, એ.એમ. નકવી, એસ.સી. ધાનાણી, વી.આર. ચાંવ, અમીત વાળા, નિર્મળ બગડા, એમ. જે. પરમાર, જે.બી. ખુમાણ, ઉમેશ જાની, રાજુ જોષી, વિનુ ડાબસરા, તોફીક મોગલ, કે.વી. કેસરીયા, રીપલ હેલૈયા, ચેતન સોલંકી, હરેશ સોલંકી, અશોક વાળા, વિનય ડાભી, રાહીલ ડોઢીયા, પ્રતિક ગોહીલ, સચિન મહેતા, વિવેક રાજયગુરૂ, ગોકુલ પરમાર, તથા બહેનોમાં શારદાબેન ડાભી, ભારતીબેન પંડયા, મનીષાબેન સોજીત્રા, એરીકાબેન વાળા, વર્ષાબેન , કિરણબેન ખોખર, શિતલબેન સતાણી વિગેરે સહિતના તમામ જાણીતા વકીલમિત્રો હાજર રહયા હતા.
તથા ધારી વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઈ વાળા તથા ઉપપ્રમુખ સલીમભાઈ જામ તથા રાજુલા વકીલ મંડળના પ્રમુખશ્રી જયરાજભાઈ ખુમાણ તથા અશોક બાબરીયા તથા જાફરાબાદ વકીલ મંડળના પ્રમુખ એસ.વી. વઢવાણા તથા ઉપપ્રમુખ ડી.એન. બારૈયા તથા બગસરા વકીલ મંડળના પ્રમુખ એ.જે. જોષી તથા ખીમસુરીયાભાઈ તથા કાંટીયાભાઈ તથા પી.ડી. ગઢવી તથા બાબરા વકીલ મંડળના હોદેદારશ્રી એસ.બી. તેરૈયા તથા એસ.બી. જસાણી તથા ડી.એસ. સેદાણી તથા રીસી રૂપારેલીયા તથા લાઠી વકીલ મંડળના પ્રમુખશ્રી આર.સી. દવે તથા હોદેદારશ્રી વી.જે. ઓઝા, લીલીયા વકીલ મંડળના પ્રમુખશ્રી કિશોરભાઈ પાઠક, સાવરકુંડલાના વકીલ મંડળના પ્રમુખ અશોકભાઈ સોસા તથા સાવરકુંડલા વકીલ મંડળે તથા ખાંભાના વકીલ મંડળના પ્રમુખ બીજલબેન શાહ તથા ખાંભા વકીલ મંડળે પણ ટેલીફોનીક ઉપરોકત ઠરાવને ટેકો આપી સહકાર આપેલ હતો તથા તમામ વકીલ મંડળના હોદેદારો હાજર રહેલ હતા.
Recent Comments